Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે.
2. તેનું શિખર તારંગાના જૈન દૈવાલયના શિખર જેવું છે.
3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના સૂચિત રાષ્ટ્રીય રેલ પ્લાન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ પગલું માલભાડામાં રેલ્વેનો હિસ્સો 45% સુધી વધારવા માટે લેવામાં આવ્યું હતું.
2. ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં ભવિષ્યની તૈયાર રેલ્વે સીસ્ટમની સ્થાપના કરવા માટે રાષ્ટ્રીય રેલ પ્લાન (NRP) તૈયાર કર્યો.
3. સમગ્ર સેવા ગુણવત્તા અને કામગીરી કાર્યક્ષમતા વધારવા ભારતીય રેલ્વે ઉતારુ ગાડી (passenger train) માટે સંપૂર્ણ ખાનગી અભિગમ (Complete Private Approach) (CPA) હાથ ધરી રહી છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતમાં તાજેતરની ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ શ્રેણી 2021 બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારતે આ ટેસ્ટ શ્રેણી જીતી અને એન્થની ડી મેલો ટ્રોફી 3-1 ના તફાવતથી હાંસલ કરી.
2. આ ટેસ્ટ શ્રેણીમાં રવિચંદ્રન અશ્વિન મેન ઓફ ધ સીરીઝ અને 3 મેન ઓફ ધ મેચના પુરસ્કારો જીત્યો.
3. રવિચંદ્ર અશ્વિન સૌથી ઝડપી 400 વિકેટો લેનાર બીજો બોલર બન્યો. તેણે આ પ્રાપ્ત કરવા માટે 70 ટેસ્ટ લીધી.

1, 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે.
2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે.
3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ધ્વનિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે કે જે રેખાંશિક અને યાંત્રિક હોય છે.
2. ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ શકતાં નથી.
3. 2000 Hz કરતા વધુ આવૃત્તિ (frequency) ધરાવતા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનીક્સ (Ultrasonics) કહેવામાં આવે છે.

ફક્ત 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP