GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતી સાહિત્યમાં ‘નાટકના પિતા' ગણાતા રણછોડભાઈ દવે બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
તેમણે લખેલાં 14 નાટકોમાં “જયકુમારી’’ અને ‘લલિતા દુઃખદર્શક’’ ખૂબ વખણાયાં હતાં.
આપેલ પૈકી કોઈ નહીં
તેઓ તત્કાલિન ભવાઈની ગ્રામ્યતા અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુધ્ધિથી નાખુશ હતાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઔરંગાબાદ નજીક આવેલા એલોરા પાસેના ડુંગરમાં નીચેના પૈકી કયા સંપ્રદાયના શૈલગૃહો કંડારાયા છે ?
1. બૌધ્ધ
2. બ્રાહ્મણ
3. જૈન

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કરવેરાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. કંપની અધિનિયમ, 2019 હેઠળ ભારતમાં નોંધાયેલી ખાનગી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી છે.
2. કંપની અધિનિયમ, 2019 હેઠળ નોંધાયેલી સરકારી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી નથી.
3. શૂન્ય કર કંપનીઓ (Zero-Tax Companies) ઉપર તેઓના બુક પ્રોફીટ (Book Profit)ના 18.5% ન્યૂનતમ વૈકલ્પિક કર લગાડવામાં આવે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પન્ના – કેન નદીનો કેચમેન્ટ વિસ્તાર
2. શેષાચલમ પહાડીઓ – પૂર્વ ઘાટ
3. સિમલિપાલ – દક્કન દ્વીપકલ્પ
4. નોકરેક – પશ્ચિમ ઘાટ

ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.
2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.
3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.
4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP