Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતીના વિશ્લેષણ સંદર્ભે આપેલી યાદી । ને યાદી II સાથે યોગ્ય રીતે જોડો.
યાદી I
i. સાર્થકતાની કક્ષા સમષ્ટિના મધ્યક જેટલી જ હોય છે
ii. નિદર્શ વિતરણનું પ્રમાણ વિચલન
iii. સમષ્ટિના લક્ષણનું વર્ણન કરે તેવું સંખ્યાકીય મૂલ્ય
iv. સંમિત રીતે વિતરિત સમષ્ટિ
યાદી II
a. નિદર્શ મધ્યક
b. પ્રાચલો
c. પ્રકાર I ભૂલ
d. પ્રમાણિત ભૂલ

i-c, ii-b, iii-d, iv-a
i-d, ii-c, iii-b, iV-a
i-d, ii-b, iii-c, iv-a
i-c, ii-d, iii-b, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, iii, iv અને v
i, iv અને v
i, ii, iv અને v
ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ?

વસ્તુ સ્વરૂપે મળેલ આવક
આકસ્મિક આવક
દાણચોરીમાંથી થયેલ આવક
વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ?

મૂલ્યવર્ધન
કહી શકાય નહિ
કોઈ ફેરફાર નહિ થાય
અવમૂલ્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં જાહેર ક્ષેત્રના બેન્કિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ ની પસંદગી કરો.
I. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.
II. બિનકાર્યક્ષમ મિલકતોની સમસ્યા એ જાહેર ક્ષેત્રની બેંકો ની સામે નોંધપાત્ર સમસ્યા છે.
III. જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને દ્વારા નિયંત્રણ થાય છે.
IV. વર્ષ 2021-22નાં બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.

III અને IV
II, III અને IV
II અને III
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP