Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ?

વ્યવહારોના ખર્ચમાં ઘટાડો
સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી
વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો
વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XYZ લિમિટેડ એ સૌંદર્ય પ્રસાધનોની પેદાશોના ઉત્પાદક છે, જે ત્રણ પેદાશો એક સાથે એક જ પેકેટમાં પુરી પાડે છે. આ પેકેટમાં હેર ઓઈલ (GST દર 18 %); પરફ્યુમ (GST દર 28%) અને કાંસકો (GST દર 12%). પ્રત્યેક પેકેટની કિંમત રૂા. 800 (કર સિવાય) છે. કંપની દ્વારા એક માસમાં આવા 500 પેકેટ પુરા પાડવામાં આવ્યા છે. આ અંતર્ગત પુરવઠાનો પ્રકાર અને વસ્તુ અને સેવા કર (GST) ની રકમ શું થશે તે જણાવો ?

મિશ્ર પુરવઠો, GST રૂા. 48,000
મિશ્ર પુરવઠો, GST રૂા. 1,12,000
સંયુક્ત પુરવઠો, GST રૂા. 1,12,000
સંયુક્ત પુરવઠો, GST રૂા. 48,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે.

નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક
પ્રધાનમંત્રી, નાણામંત્રી
ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કઈ કંપનીઓમાં, ઓડીટરને કંપની ઓડીટરના રીપોર્ટ ઓર્ડર (CARO), 2020 હેઠળ નિર્દેશિત બાબતોની જાણ કરવી જરૂરી છે.

વિદેશી કંપની
આપેલ પૈકી એક પણ નહીં
નાની કંપની
એક વ્યક્તિ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું.
આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી.
આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો.
1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ?

જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે.
જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP