કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ‘દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે' પરના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તે આઠ લેન વાળો એક્સપ્રેસ વે છે. જેને ટ્રાફિક દબાણના આધારે 12 લેન એક્સપ્રેસ વે સુધી લંબાવી શકાય છે. 2. તે હરિયાણાના સોહાનાથી શરૂ થઈને મુંબઈ નજીક મીરા ભાયંદર આસપાસ સમાપ્ત થશે. 3. આ એક્સપ્રેસ વે વન્યજીવોની અવરજવર માટે પ્રાણી ઓવરપાસ પણ ધરાવે છે. 4. આ એક્સપ્રેસ વે માં બે આઈકોનિક આઠ-લેન ટનલનો પણ સમાવેશ થશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘ઈ-શ્રમ પોર્ટલ' શરૂ કર્યુ છે. તેના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ પોર્ટલ ભારતમાં લાખો અસંગઠિત કામદારોને એક સામાન્ય મંચ પર લાવવામાં મદદ કરશે. 2. આ પોર્ટલ અંતર્ગત અસંગઠિત લગભગ 38 કરોડ મજૂરો માટે 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. 3. આ પોર્ટલ અંતર્ગત જો કોઈ રજિસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને છે તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તથા અશંત વિકલાંગોને વીમા યોજના હેઠળ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. 4. આ પોર્ટલમાં કામદારોને નોંધણી કરવા માટે એક ટોલ ફ્રી નંબર 15789 પણ શરૂ કરવામાં આવ્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.