GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે.
બહિર્ગોલ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે.
અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય
સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલ્ટું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં શ્રીહરિકોટાથી ISRO ના PSLV C47 દ્વારા પ્રક્ષેપણ કરેલા CARTOSAT-3 અને અન્ય 13 ઉપગ્રહોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. CARTOSAT-3 એ ઈસરોનું ત્રીજી પેઢીનું અદ્યતન પૃથ્વી નિરીક્ષણ અને મેપીંગ સેટેલાઈટ છે કે જે ઉચ્ચ રેઝોલ્યુશન ઈમેજીંગ ક્ષમતા ધરાવે છે.
ii. CARTOSAT શ્રેણીનો આ 9મો ઉપગ્રહ હતો.
iii. CARTOSAT-3, પૃથ્વી નિરીક્ષણ યુનાઈટેડ સ્ટેટ (US) થી અન્ય 13 નેનો ઉપગ્રહો સાથે સૂર્યની સૂમેળ ભ્રમણકક્ષા (Sun Synchronous Orbit (SSO)) માં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.
iv. CARTOSAT-3 1,625 કિ.ગ્રા વજન ધરાવે છે જેનું મિશન આયુષ્ય 5 વર્ષનું છે.

i,ii,iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત iii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં ભારતના નીચેના પૈકી કયા શહેરો યુનેસ્કો (UNESCO) સર્જનાત્મક શહેર નેટવર્ક (Creative Cities Network) ના સદસ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

અમદાવાદ અને જયપુર
અમદાવાદ અને કોચીન
મુંબઈ અને હૈદરાબાદ
મુંબઈ અને ઈન્દોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં નીચેના પૈકી કયા જૈન કવિની આત્મવિશ્વાસને પ્રેરતી આ કાવ્ય પંક્તિઓ છે ? “અબ હમ અમર ભયે ન મરેંગે''

ઋષભદાસ
સમયસુંદર
આનંદધન
જયવંતસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી‌.

પ્રતીહારો, રાષ્ટ્રકૂટો
રાષ્ટ્રકૂટો, પ્રતીહારો
સાતવાહન, ચાલુક્ય
ચાલુક્ય, સાતવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે.
ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે.
iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે.
iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.

ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii
ફક્ત i, ii અને iv
ફક્ત ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP