GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પછાતવર્ગોમાં ક્રિમિલેયર (Creamy layer) નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?

જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ
જસ્ટીસ રામનંદન સમિતિ
જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ
જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
૨ણયોધ્ધો જ્યાં અનેક જખમોથી ઘવાયેલો મૃત્યુ પામ્યો હોય ત્યાં જ તેના નામનો પથ્થર ઊભો કરવામાં આવે તેને મૃત્યુ પામનારની ___ કહેવાય છે.

સૂરધન
ઠેશ
કન્થારી
ખાંભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં દેવીપૂજક લોક સમુદાયની ખાસ સાંકેતિક શબ્દભંડોળ ધરાવતી ‘પારસી’ બોલીના સંદર્ભે જોડકાં જોડો.
a. મધવો
b. માઢ
c. ગણેશકાકા બેસાડવા
d. ચોવન કરવું
i. ચોરી કરવી
ii. જમવું
iii. પોલીસ
iv. દારૂ

a-iii, b-iv, c-ii, d-i
a-iii, b-iv, c-i, d-ii
a-iv, b-iii, c-ii, d-i
a-iv, b-iii, c-i, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : W&P,P%G,G@I,I#N
તારણો : (I) N%W
(II) N#W

જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.
જો માત્ર તારણ II સાચું છે.
જો માત્ર તારણ I સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક માણસ પાસે રૂા. 480, સરખી સંખ્યાની એક રૂપિયો, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે ?

75
આપેલ પૈકી કોઈ નહીં
96
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી.
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
આપેલ તમામ
આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP