GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.
II. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી.
III. હર્ષવર્ધને ગૌડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.

ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત III
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ?
I. બુદ્ધ
II. પશુપતિ
III. વરૂણ
IV. ઈન્દ્ર

ફક્ત I
ફક્ત III અને IV
ફક્ત II
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ?

અમરસિંહ ગામીત
કોટલા મહેતા
ગોવિંદભાઈ દેસાઈ
રાયસીંગભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
1 : 8
1 : 2
1 : 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી.
2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે.
3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે.
4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP