GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ?
I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય
II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ
III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે
IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે
આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.

I અને IV
III અને IV
ફક્ત IV
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે. નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. માંગ એ ખરીદ શક્તિ અને ચુકવણી કરવાની ઈચ્છા દ્વારા સમર્થિત ચીજવસ્તુની ઈચ્છા છે.
II. માંગ એ કોઈ ચીજ વસ્તુની ઇચ્છા છે.
III. માંગની હંમેશા ચીજવસ્તુના ભાવ ના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે.
IV. કોઈ ચીજ વસ્તુઓની માંગ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે.

I અને III
ફક્ત I
II અને IV
I, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂલ્ય અને કિંમત વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. મૂલ્ય એ સાપેક્ષ અને કિંમત એ નિરપેક્ષ ખ્યાલ છે
II. બધી જ ચીજ વસ્તુઓના મૂલ્યો એક જ સમયે વધી અને ઘટી શકે છે
III. એક જ સમયે બધી જ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો અને ઘટાડો થઈ શકતો નથી
IV. મૂલ્ય નો ખ્યાલ સાટા પદ્ધતિ સાથે સુસંગત છે જ્યારે કિંમત નો ખ્યાલ નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત છે

III અને IV
I અને II
II અને III
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે.

ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર
કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર
કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર
જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ચાર વ્યક્તિઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે એ અંગેના વિધાનો નીચે આપેલ છે.
• અજય : કોરોના વાયરસના કારણે આ વર્ષે ભારતમાં આર્થિક વૃદ્ધિનો દર ઓછો છે.
• અકબર : વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ ને કારણે પ્રતિકૂળ અસર થઈ છે.
• એન્થની : કોરોના વાયરસ ના કારણે જે મંદી આવી છે, તેને પહોંચી વળવા માટે વિશ્વના દેશોની સરકારો એ વિસ્તૃત રાજકોષીય નીતિ અપનાવી છે.
• અમરસિંહઃ હું માનું છું કે અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા સરકારોએ સાર્વત્રિક મૂળભૂત આવક યોજના (UBI) લાગુ કરવી જોઈએ
નીચે આપેલા વિકલ્પોમાંથી તે વ્યક્તિ ને ઓળખો જેનું નિવેદન આદર્શલક્ષી છે.

એન્થની
અમરસિંહ
અજય
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP